Wednesday, January 4, 2012

"તુષાર શુક્લ"

એક ગુણ્યા એક થતાં બેઉના હૈયામાં રણકી ઉઠે છે સ્નેહ ઝાંઝરી ,
એક વત્તા એક જ્યારે બે જેવું થાય ત્યારે કોળિયામાં આવી જાય કાંકરી.
ઓરા આવીને બેઉ ઓગળતા જાય ,એના પડછાયા હોય નહિ જૂદા,
દરિયામાં ભેદ બધા ઓગળી એ જાય, કોણ નૌકા ને કોણ છે નાખૂદા !
એક ભાગ્યા એક થતા એવું કંઈ થાય ,જાણે વીંધ રે વિનાની કોઈ વાંસળી..
ગણી ગણી જીવવું કે જીવીને ગણવું એને જીવતર કહું કે ગણિત ?
શ્વાસના હિસાબ અને ધબકારા માફ, એ જીવવાની ખોટી છે રીત.
એક ઓછા એક થતાં પાછા બે થાય ત્યારે ,
વેદનાની વેલ રહે પાંગરી...

No comments:

Post a Comment