દિવાળીના તહેવાર નિમિત્તે ઘર આંગણની સફાઈ થાય. એ દરમિયાન ખોવાયેલું જડે અને જડેલું ખોવાય પણ ખરું. સ્મૃતિની શેરીમાં લટાર મારવાનો ઉત્સવ છે આ.પણ શેરીમાં લટાર મારતી વખતે કુંડાળામાં પગ ન પડી જાય એનું ધ્યાન રાખવાનું વડીલો કહેતા.ઘરનો કકળાટ કાઢીને કરેલા કુંડાળા ચાર રસ્તે જોવા મળતા. આમ તો શેરીમાં કોના ઘેર શેનો કકળાટ છે તે સહુ જાણે, અને આમ એને બહાર મુકવા જવાની શરમ પણ નહિ, કારણ કે એ પછી પણ એ ભાગ્યે જ બંધ રહે..! પણ નવા વર્ષે નવી શરૂઆતની સાથે એક નવી તક લેવાનો પણ આશય. એક મનોવૈજ્ઞાનિક અભિગમ !હવે આવું ઓછું જોવા મળે છે. પણ કકળાટ ઓછો નથી થયો, ઉલટાનો છાનો રહીને ઓર ભડકે છે.
No comments:
Post a Comment