નવા વર્ષનો આરંભ..આરંભનો આનંદ છલકે છે..હજી આળસ અને આરામનો વૈભવ છે..સ્મૃતિ,સંબંધો અને સ્વાદ મણાય છે..ગમતાનો સાથ છે..સ્થળ અને સંગાથ બંને પ્રસન્નતાના પૂરક છે..આ બધું થોડા સમયનું છે એની જાણ છે,પણ એની જરૂર પણ છે, કારણકે એ જીવવાને અર્થ આપે છે..અને એટલેજ એને મનથી માણીએ. બાળપણમાં મમ્મી કહેતી કે ઉતાવળે નાં ખવાય, પેટમાં દુખે. બરાબર ચાવીને ખાઈએ તેનું લોહી થાય. આનંદનું પણ એવું જ..આરામના સમયમાંથી મળેલો આનંદજ કામના સમયે શક્તિ આપશે..એટલે જ,સ્વાદ,સ્થળ, સંગાથ અને સ્મૃતિને મન ભરીને માનો..સ્મૃતિ સર્જવાનો ય આ જ અવસર છે..
No comments:
Post a Comment