Wednesday, January 4, 2012
"તુષાર શુક્લ"
આમંત્રણ આપવાની ય કળા હોય છે.સમયસર થી માંડીને અવસર વીત્યે મળે તેમ પણ પહોંચાડાય છે. ટાળવાની વિનયી રીતો પણ પ્રચારમાં છે જ . ન મોકલવા છતાં ય મોકલ્યું હોવાના અને ન મળવા માટે પોસ્ટ અને આંગડીયાને ય જવાબદાર ઠેરવી શકાય છે. પોતાનું ગણીને આવી જ જવાનું હોય ને એમ સામા ગળે ય પડી શકાય છે. આમંત્રણના અર્થ ઘટનની હવે સમજ પણ આવી ગઈ જોવા મળે છે. શ્રીમાન કે શ્રીમતી કે સુશ્રી હોય તો એક , શ્રીમાન અને શ્રીમતી હોય તો બે, સહકુટુંબ હોય તો સહુ..કંકોત્રી મળે ત્યારે જ કવર ઉપર વાંચી લેવાય છે અને એ ક્યારેક ચર્ચાનું કારણ પણ બને છે. ક્યાંક એમાંથી સંબંધોની નિકટતા તો ક્યાંક સંખ્યા મર્યાદિત રાખવાના કારણની ય ચર્ચા ચાલે છે. કેટલાક વળી કાર્ડ જોઇને જે ખૂટ્યું હોય તે તરફ ધ્યાન પણ દોરે છે. અનેક કંકોત્રી મોકલતી વખતે ભૂલ સ્વાભાવિક છે. .પણ કેટલાક નિર્ણયો વાસ્તવિકતાની ધરા પર લેવા પડે છે. સંખ્યા ઓછી કરે તેને સ્નેહ ઓછો ન હોય એમ પણ બને.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment