Wednesday, January 4, 2012

"તુષાર શુક્લ"

હા...શ..ખીચડી બની..! એક પરંપરા મુજબ વાકબારશથી લાભપાંચમ સુધી ખીચડી ન બને. એનો અર્થ એમ પણ નહિ કે રોજ લાપસીના આંધણ મેલાય ..પણ ખીચડીની હાંડલી ચૂલે ન ચડે ..ખીચડી સર્વથાભોગ્ય અને સહુને ઉપલબ્ધ એટલે એનો મહિમા તો ખરો જ, પણ તહેવારોમાં શીરો, કંસાર, બીરંજ અને લાપસી જેવા ઘરેલું મિષ્ટાનનો મહિમા. હવે પાછી ખીચડી આવી ગઈ..દિવાળીના ભોજન પછી પેટને ય આનંદ આનંદ..પાછું બધું પૂર્વવત..મીઠાશનો સ્વાદ હવે સ્મૃતિ અને ખીચડીની સચ્ચાઈને સ્વીકૃતિ..!

No comments:

Post a Comment