આંગણાની ધરતીમાં મૂળ નાખનારું વૃક્ષ જ્યાં સિંચાય છે ત્યાં સંબંધાય પણ છે. આંગણાનું વૃક્ષ પરિવારની પીડા અને પ્રસન્નતાને સંવેદે છે.મકાનની દીવાલો માત્ર સાક્ષી બને છે, વૃક્ષ સાક્ષીભાવે નથી જોતું. એ પરિવારના સભ્ય રૂપે જીવે છે. ઘરની બહાર હોવા છતાં એ ઘરની અંદર છે. ઘર એની ભીતર છે. ઘરની દીકરી પરણીને સાસરે જાય ત્યારે એ ડૂસકું ભારે છે...અને ઘરની વહુઆરુનો ખોળો ભરાય ત્યારે લીલુછમ મલકાય છે.
કપાયેલા શિરીષ વૃક્ષની સુગંધિત સ્મૃતિ મને આજે પણ ત્યાંથી વાહન ચલાવતા રોકે છે. "
No comments:
Post a Comment