Wednesday, January 4, 2012

"તુષાર શુક્લ"

લગ્નોની મોસમ છલકાવાની તૈયારીમાં છે..ત્યારે લગ્નોત્સુકોને આટલી વિનંતી..તમે અલ્પ શિક્ષિત હો કે અતિ શિક્ષિત, મહેરબાની કરીને અશિક્ષિત સાબિત ન થશો. સાચું અને સારું શું છે એ જાણવા છતાં ય ખોટા નિર્ણય કરીને બાળકોને માટે બોજા રૂપ ન બનશો. પટાવાળાની નોકરી માટે પણ લઘુત્તમ લાયકાત નક્કી છે, પણ માં બાપ બનવા માટેના કોઈ જ ધારા ધોરણ નથી એનો ત્રાસ બાળકોએ ભોગવવો પડે છે બાળકોના બાળપણનો ભોગ લેનારાઓ ગુનેગાર જ છે.માના દૂધ જેટલી જ મહત્વની માતૃભાષા છે એવું આપણાં લાભાર્થે ,પશ્ચિમનાં વિદ્વાનોએ પણ કહ્યું છે! એક વિષય તરીકે અન્ય ભાષા અને માધ્યમ તરીકે માતૃભાષા જ યોગ્ય છે . જગત એના ઝળહળતા પરિણામોથી ઉજળું છે. અંધકાર છે તો માત્ર આપણે ત્યાં છે. લગ્ન પહેલા આ અંગે સ્પષ્ટ થાવ .લગ્નની આઠમી પ્રતિજ્ઞા રૂપે હવે કહેવાવું જ જોઇશે કે : આપણાં સંયોગથી ખીલેલું ફૂલ આપણાં અણઘડ પ્રયોગોથી કરમાય નહિ તે આપણે જોઈશું .

No comments:

Post a Comment