સમજીએ તો બહુ સૂચક છે આ દીપોત્સવીના તહેવારોની વ્યવસ્થા. વાંકબારશથી શરુ થઈને જ્ઞાન પંચમી..વાણીનો સદઉપયોગ જ જ્ઞાનને સાર્થક કરે અને એ જ આપે જીવનમાં લાભ. જ્ઞાનને "લાભ " કહેનારા વિચારકોએ સાધનને [ધન તેરશ] સાધનાને [ કાળી ચૌદશ ] અને સ્નેહને [ ભાઈ બીજ ] વચ્ચે જ સમાવી લીધા છે. જ્ઞાન પામીએ અને લાભ મેળવીએ..જ્ઞાન વહેંચીએ અને અન્યને લાભના અધિકારી બનાવીએ.જ્ઞાન વહેંચવા અને પામવા બંનેમાં લાભ.
No comments:
Post a Comment