Wednesday, January 4, 2012

"તુષાર શુક્લ"

લગ્નની મોસમ છલકે છે. સંગીત સંધ્યામાં ગરબા ઉપરાંત હવે ગીતોએ પણ સ્થાન મેળવ્યું છે. હિન્દી ફિલ્મ ગીતો, પંજાબી અને રાજસ્થાની લોકસંગીતની સાથે હવે ગુજરાતી ગીતો પણ રજુ થાય એવો આગ્રહ રખાય છે. પણ આવા આયોજન પૂર્વે આપના કુટુંબીજનો અને આમંત્રિતોની અપેક્ષા અંગે પણ વિચારી લેવું જરૂરી છે. આમ કરવાથી કલાકાર અને યજમાન બંને ને રાહત. કલાકારના આગમનથી લઈને વિદાય સુધી એનું ગૌરવ જળવાય એ યજમાનની ફરજ છે. અને એવું જ મહત્વનું છે કલાકાર સાથે નક્કી થયેલ મહેનતાણું સમય સર ચૂકવાય તે. એમાં કાપકૂપ કરવી,કે ચૂકવવામાં જ દાંડાઈ કરવી તે અયોગ્ય છે.મજૂરનો પરસેવો સૂકાય તે પહેલા અને કલાકારનો સ્વર શમી જાય તે પહેલા એને એનું પારિશ્રમિક મળી જવું જોઈએ જ . તે સિવાય આવા આયોજનો એ કલાપ્રેમનો દંભ કે દેખાડો જ બની રહે. કલાના અજ્ઞાનને પણ સૌજન્યની મદદથી અપ્રગટ રાખી શકાય અને કલાની જાણકારી પણ અવિવેકમાં ઓજપાઈ જાય.

No comments:

Post a Comment