Wednesday, January 4, 2012
"તુષાર શુક્લ"
દિવાળી ગઈ..નવું વર્ષ શરુ થઇ ગયું. સાલ મુબારકના દિવાળી કાર્ડને બદલે કંકોત્રી આવવા લાગી છે. નવું વર્ષ નહિ, નવું જીવન શરુ થશે. સત્કાર સમારંભના આમંત્રણ વાંચું છું. આ આપણાં આગમનનો સત્કાર સમારોહ નથી. આપણને જમવા બોલાવનાર વાસ્તવમાં ઈચ્છે છે કે આપણે નવ દંપતીના સ્નેહ જીવનના શુભારમ્ભના પ્રસંગે એમના સ્નેહનો સત્કાર કરીએ, અને હા, હવે આ કાર્ડ બરાબર વાંચીને જવું જરૂરી છે..એ સગા વહાલા અને મિત્ર મંડળ સહિત પધારવાનું નિમંત્રણ નથી. એમાં એક/ બે/ સહ કુટુંબ લખ્યું હોય તો જોવું જરૂરી. આવું ન લખનાર ,કાર્ડમાં સંબોધન રૂપે કે કવર પર લખેલા નામમાં ઈશારો કરી જ દે છે કે શ્રીની સાથે શ્રીમતીએ આવવાનું છે અને છોકરાં ક્યાંક મુકી આવવાના છે !ચાંલ્લો લેવા વિષે ફોડ ન પાડનાર પણ ફૂલો લાવવાની નાં લખી શકે..!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment