Thursday, February 23, 2012

"તુષાર શુક્લ"

હું એ માણસ તું એ માણસ,
તોય ન આપણે ભાઈ ભાઈ, અંતર વચ્ચે અંતર સર્જે એવી શાને ખાઈ ?
આવ, આપણે રચીએ સેતુ..
નામે " માણસાઈ " !
દેવતાઈ ગુણ દેવ બનાવે, દાનવતાથી દાનવ, માનવતાથી મળતી ઓળખ એને કહે છે " માનવ"
પીડાનાં અણસારે જેની
આંખ રહે છલકાઈ..
સહુના સુખમાં સુખી થાય ને સહુના દુઃખમાં દુખી,
સર્વોદયના સુરજ સામે જોતું સુરજ મુખી.
સૂર્ય ઉગે ત્યાં ખીલવું, જાવું આથમતા કરમાઈ..
આપણી ઓળખ આપણી આંખે છલકાતા આ ભાવ.
સ્મિત ને આંસુનો આ આખા વિશ્વમાં એક સ્વભાવ.
"માણસ " કહીને મોકલ્યા પ્રભુએ , પ્રગટ થઇ પ્રભુતાઈ..

No comments:

Post a Comment